Friday, June 5, 2009

કોને ફરિયાદ કરીએ?



આભ જ તૂટે ત્યારે કોને ફરિયાદ કરીએ?


પોતાનાં જ રિસાય, ત્યારે
કોને ફરિયાદ કરીએ?



દરિયો જો ગાંડોતૂર થાય, તો કોને ફરિયાદ કરીએ?

ત્યારે આપણે હોઈએ જો મધદરિયે, તો કોને ફરિયાદ કરીએ?

ગુંજન અને કલરવ સાંભળવાનાં શોખીન છીએ અમે,

પણ પક્ષી
રિસાય, તો કોને ફરિયાદ કરીએ?

ઋણાનુબંધ બાકી હશે, એ બધાં સાથે નિભાવવું જ પડશે,

પણ જો શ્વાસ જ રિસાય તો કોને ફરિયાદ કરીએ?

નીતા કોટેચા

No comments:

Post a Comment