...
સવારે થાય તુ માળી,રાત્રે નિન્દ્રા રાણી,
પ્રભુ તારી માયા અમે કદી ન પીછાણી.
દુ;ખ આપી ને જોતો, અને સાંત્વનાં પણ દેતો,
પેટ ની ભુખ તે બધાની પુરી પાડી.
પ્રભુ તારી વાતો અમે કદી ન પીછાણી.
સુખ આપિને કરાવ્યો જલશો.
પણ સાથે કહેતો અંતર ની વાણી.
હે પ્રભુ તારી લીલા અમે કદી ન પીછાણી.
દુનિયા નાં લોકો તો કદી પોતાનાં
અને કદી થયા પારકા.
પણ હે પ્રભુ તે કદી અમારી સાથે
તારી નાળ ન કાપી.
હે પ્રભુ તોય તારી મમતા અમે કદી ન
પીછાણી
ક્દી ન પીછાણી ....
નીતા કોટેચા
નીતા કોટેચા
No comments:
Post a Comment